Section 80 G / 80 GGA /80 GGC હેઠળ કેટલું કરી શકાય દાન ?કેટલું મળી શકે બાદ?
Topics
🠊 Old Tax Regime અને New Tax Regime માં તફાવત…
🠊 કોને કયો Tax Regime લેવાથી થશે ફાયદો…
🠊 Deduction Under Section 16
🠊 Deduction Under Section 10(14)
🠊 Deduction Under Section 80 C
🠊 Deduction Under Section 80CCC – Insurance Premium
🠊 Deduction Under Section 80CCD – Pension Contribution
🠊 Deduction Under Section 80GG – House Rent Paid
🠊 Deduction Under Section 80E – Interest on Education Loan
🠊 Deduction Under Section 80D – Medical Insurance
🠊 Deduction Under Section 80CCG – RGESS (Rajiv Gandhi Equity Saving Scheme)
🠊 Deduction Under Section 80U – Physical Disability
🠊 Deduction Under Section 80G – Donations
🠊 Deduction Under Section 80GGA – Donations
🠊 Deduction Under Section 80GGC – Contribution to Political Parties
🠊 How to Claim Refund Deduction Under Section 89(1) on Salary
🠊 How to Fill Form 10E
Section 80 G શું છે?
Income Tax Act હેઠળ Section 80 G નાણાકીય વર્આષ ૧૯૬૭-૬૮ થી અમલમાં મુકવામાં આવેલ છે. ત્યાર બાદ આ કાયદામાંથી ઘણી બધી કલમો અને વિભાગોને કુર કરવામાં આવેલ છે પરંતુ આ વિભાગ હજુ પણ પોતાનું સ્થાન જાળવીને બેઠો છે. સમાજમાં સેવાના કામ કરતી ચેરીટેબલ સંસ્થાઓને લોકો દાન કરવા પ્રેરાય તે આ વિભાગનો મુખ્ય હેતુ છે જેથી આ વિભાગને દુર કરેલ નથી અને લાગે છે કે હજુ પણ દુર કરવામાં આવશે નહિ.
ફાયદાની વાત |
અમુક રાહત ભંડોળ અને સખાવતી સંસ્થાઓમાં આપેલ દાન કે ફાળો આવકવેરા કાયદાની કલમ 80G હેઠળ કરપાત્ર આવકમાંથી કપાત તરીકે દાવો કરી શકાય છે. જોકે, બધા દાન કલમ 80 G હેઠળ કપાત માટે પાત્ર નથી. ફક્ત નિર્ધારિત ભંડોળ માટે કરવામાં આવેલ દાન કપાત માટે લાયક છે. આ કપાતનો દાવો કોઈપણ કરદાતા – વ્યક્તિઓ, કંપની, કે ભાગીદારી પેઢી દ્વારા કરી શકાય છે. ચાલુ નોકરી સિવાય પેન્શન મેળવતા કરદાતા પણ આ પ્રાવધાન હેઠળ કરપાત્ર આવકમાંથી બાદ મેળવી શકે છે.
કોને કરેલું દાન Section 80 G હેઠળ બાદ મળે?
ભારતમાં હજારો ટ્રસ્ટ નોંધાયેલા છે જે સેવાભાવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોવાનો દાવો કરે છે. પરંતુ આ તમામ ટ્રસ્ટ ખરેખર સેવાભાવી પ્રવૃત્તિ જ કરે છે તેમ નથી. આથી માત્ર સેવાભાવી ટ્રસ્ટને ટેક્સનો લાભ મળે તે માટે સરકારે તમામ સખાવતી ટ્રસ્ટ્સને આવકવેરા વિભાગમાં પોતાનું નોંધણી કરાવવી ફરજિયાત બનાવ્યું છે. અને આ હેતુ માટે સરકારે બે પ્રકારના રજિસ્ટ્રેશન જરૂરી કર્યા છે. જો ટ્રસ્ટ નોંધણીનું પાલન કરે છે, તો જ તેમને ટેક્સ છૂટનું પ્રમાણપત્ર મળશે, જે 80 G પ્રમાણપત્ર તરીકે પ્રખ્યાત છે. અને આ 80G પ્રમાણપત્ર ધરાવતા ટ્રસ્ટને કરેલ દાન જ કરદાતા કરપાત્ર આવક માંથી બાદ મેળવવા માટે દાવો કરી શકે છે.
કોને કરેલું દાન Section 80 G હેઠળ બાદ મળે?
Under Section 80 G / Section 80 GGA કયા કયા કરેલ રોકાણ બાદ મળી શકે? કેટલી હોય છે તેની મર્યાદા ?
જાણવા માટે આગળ વાચો…..
0 Comments