Bottom Article Ad

How To Protect Against Corona Virus?

આયુષ વિભાગ દ્વારા જાહેર કરેલ કોરોના વાઇરસના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો.

નિયામકશ્રી, આયુષની કચેરી, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારની માર્ગદર્શિકા મુજબ.

 🠊 આયુર્વેદ પધ્ધતિ દ્વારા રક્ષણાત્મક ઉપાય

      • ક્વાથ : પથ્યાદીક્વાથ + દશમૂલ ક્વાથ + નિમ્બત્વક : પ્રક્ષેપ નિકટુ
      • તુલસીના બે ચમચી રસ માાં બે મરીના પાવડર નાખી સવાર સાંજ લેવુ.
      • ઔષધસિદ્ધ જલ : સુંઠ ૧ ચમચી અને નાગરમોથ ૧ ચમચી (અથવા સુંઠ ૨ ચમચી)ને ૧૦ ગ્લાસ પાણીમા ઘીમા તાપે ઉકાળી ૫ ગ્લાસ રહે ત્યારે ગાળવુ. જરુરીયાત મુજબ નવસેકુ પીવુ.
    • ધૂપન દ્રવ્ય : સલાઇ ગુગળ ૫૦ ગ્રામ, ઘોડાવજ – ૧૦ ગ્રા.,સરસવ – ૧૦ ગ્રા. ,લીમડાના પાન – ૧૦ ગ્રા. અને ગાયનું ઘી – ૨૦ ગ્રા. મિશ્રણ બનાવી એક ચમચીના ઈલેક્ટ્રીકલ ધૂપેલીયા અથવા ગાયના સૂકાયેલા છાણામાાં સૂર્યોદય અને સુર્યાસ્ત સમયે ધૂપ કરવો.

        🠊 હોમિયોપેથી સંબંધિત રક્ષણાત્મક ઉપાય

        • આર્સેનિક આલ્બમ ૩૦ પોટેન્સી ૪ ગોળી સવાર સાંજ ત્રણ થી સાત દિવસ લેવી.
        • જો વાઈરસનું સંક્રમણ ચાલુ જણાય તો મહિના પછી ફરીથી ઉપર મુજબ લેવી.

         🠊 આહાર વિહારના સૂચનો

        🠊 આહાર :

        • ઘરનો સાત્વિક, સુપાચ્ય , હળવો ગરમ ખોરાક લેવો.
        • વાસી ખોરાક,આથાવાળી વસ્તુ, મેંદાની બનાવટ, દહીં, દુધની બનાવટ, જંકફૂડ, ઠંડા પીણા અને ફ્રીજનું પાણી લેવા નહિ.
        • વિરુદ્ધ આહારનું સેવન કરવું નહિ. તેમજ ફ્રીજમા રાખેલી કોઇપણ વસ્તુઓ ના ખાવી.
        • મગ, મસૂર, ચણા અને કળથીનો ગરમ સૂપ પીવો.
        • શાકભાજીમા કારેલા, પરવળ, કાચા મૂળા, દુધી, કોળુ, સરગવો, આદુ ,હળદર, લસણ અને ફુદીનો લેવા.
        • પચવામાં ભારે તથા ચીકણા શાકભાજી ના ખાવા.
        • ફળમાં પપૈયા, દાડમ, આમળા જેવા ફળ લેવા.
        • પાણી અડધુ ઉકાળીને હુંફાળું જ પીવું અથવા સુંઠ નાખીને ઉકાળેલુ પાણી લેવું.
        • ઈંડા તેમજ માંસાહારનો ત્યાગ કરવો.

         🠊 વિહાર

        • આસપાસની, ઘરની અને વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી.
        • ભીડભાડ વાળી જગ્યાએ બિનજરૂરી જવુ નહિ. ડીસ્પોઝેબલ માસ્ક પહેરવાનો આગ્રહ રાખવો.
        • ખાસ હાથની સફાઇ કરવી બિનજરૂરી આંખ, નાક અને મોઢાનો સ્પર્શ હાથથી વારંવાર ન કરવો.
        • શરદી ખાંસીના દર્દીઓથી અંતર રાખવું.
        • વિષ્ણુસહસ્ત્ર મંત્રનો અથવા અન્ય મંત્રનો જાપ કરવો. હળવો પ્રાણાયામ અને વ્યાયામ કરવો.
        • એકકાલ ભોજિ – દિવસમાં એક વાર ભોજન લેવું.. સુર્યાસ્ત પહેલા હલકુ ભોજન લેવું.
        • જમ્યા બાદ તુરંત ફરીથી અન્ય ખોરાક ન લેવો.
        • દિવસે ખાસ કરીને જમીને સુવુ નહિ. તેમજ રાત્રે મોડે સુધી જાગવું નહિ.
        • હળદર-મીઠાવાળા નવસેકા પાણીના કોગળા કરવા.
        • સવારમા નાકમાં નવસેકા તલના તેલના બે બે ટીપા નાખવા. અને આંગળીથી બંને નસકોરામાં લગાવવું.
        • સંધ્યાકાળે ઘરમાં (સલાઇ ગુગળ, ઘોડાવજ, સરસવ ,લીમડાના પાન અને ગાયના ઘી ઘી)નો ધૂપ કરવો.
        • ઉકળતા પાણીમાાં અજમો નાખી નાસ લેવો.

         🠊 કોરોના (coid 19)ના સંક્રમણ દરમ્યાન વ્યકિતગત સંભાળ માટે આયુર્વેદ થકી રોગ પ્રતિકાર શકિત વધારવા માટેના પગલા

                      આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા ખાસ કરીને શ્વસનતંત્ર સંબધિત આરોગ્યની જાળવી માટે રક્ષણાત્મક પગલાં અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા નીચે મુજબ વ્યકિતગત સંભાળ માટેની માર્ગદર્શિકા સૂચવેલ છે.

        🠊 સામાન્ય પગાલઓ

        • દિવસભર ગરમ પાણી પીવું.
        • આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) (#YOGAatHome #StayHome #StaySafe)
        • હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો.

         🠊 રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં

        • સવારે એક ચમચી (૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ free sugar ચ્યવનપ્રાશ લેવો જોઈએ)
        • હર્બલ ટી/ઉકાળ-તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા/ ઉકાળો પીવો
        • દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય.
        • ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં -દિવસમાં એક કે બે

         🠊 સરળ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ

        • Nasya – બંને નસકોરામાં તલનું તેલ / નારિયેલનું તેલ અથવા ઘી લગાવો- સવાર અને સાંજ
        • કોગળા કરવા- ૧ ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ ૨ થી ૩ મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી પીવુ નહી) પછી ત્યારબાદ ગરમ પાણીના કોગળા કરવા
        • દિવસમાં એક કે બે વાર કરી શકાય.

        🠊 સુકી ઉધરસ, ગળામાં બળતરા થતી હોય ત્યારે

        • તાજા ફુદીના ના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો
        • લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે
        • ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.

                      આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ડોકટરોની સલાહ લેવી શ્રેષ્ઠ છે.

        ઉપરના પગલાં વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર અનુસરી શકે છે.

        નોંધ:- ઉપરોક્ત પગલા (માર્ગદર્શિકા) કોરાના (coVID 19)ની સારવાર હોવાનો દાવો કરતુ નથી.

        કોરોના વાયરસ સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયો. Click Here To Download.

        કોરોના વાઇરસના સંક્રમણ દરમિયાન રોગપ્રતિકારક શકતી વધારવાના ઉપાય. Click Here To Download.

        ગુજરાતમાં ફરી વાર લોકડાઉન.

        જાણો સંપૂર્ણ માહિતી Click Here.

        શું તમે કોરોના વેક્સીન લીધી છે?

        જો હા, તો જાણો શું છે કોરોના વેકસીનની અસર અને આડઅસર.

        Post a Comment

        0 Comments